વાર્ષિક ઉત્સવ – 2024

વાર્ષિક ઉત્સવ – 2024

આપણા બ્ર્હમસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓની 51મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ 01-09-2024 ના રોજ સવારે 9.૦૦ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવીઓંસ લોયલા સ્કૂલ સામે, દર્પણ 6 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદમાં રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલાન વાર્ષિક ઉત્સવ, ઇનામ વિતરણ અને સમૂહ ભોજનનું આયોજન કરેલ છે.

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

તારીખ ૫/૫/૨૦૨૪ – રવિવારના રોજ આપણા સમાજના સર્વ પિતૃના સ્મરણાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે માતાજીના આનંદના ગરબાનું તથા નાના બાળકોના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વધુ વિગતો વેબસાઈટ પર મુકેલ છેલ્લા પરિપત્ર માંથી મળી શકશે.

સમૂહ ધાર્મિક કાર્યક્રમ 2023

સમૂહ ધાર્મિક કાર્યક્રમ 2023

તારીખ 31 ડિસેમ્બર 2023, રવિવારના રોજ આપણે સમૂહ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. હોમાત્મક લઘુરુદ્ર અથવા વિષ્ણુયાગ જેવા કાર્યક્રમ વિચારણા હેઠળ છે.

પ્રવાસ આયોજન – 2023

પ્રવાસ આયોજન – 2023

દર વખતની જેમ આ વખતે પણ પ્રવાસનું આયોજન નવેમ્બર – 2023માં રાખવામાં આવશે, જેમાં પૂરતી સંખ્યા હોવી જરૂરી છે. સ્થળ તથા તારીખની જાહેરાત વાર્ષિક સભાના દિવસે કરવામાં આવશે.

ગરબા ઉત્સવ – કલચરલ કાર્યક્રમ – 2023

ગરબા ઉત્સવ – કલચરલ કાર્યક્રમ – 2023

યુવાઓ તેમજ સૌ કોઈ ઉત્સાહી સભ્યો માટે રાસ ગરબાનું આયોજન ઓક્ટોબર 2023 દરમ્યાન કરવામાં આવશે. તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

    [recaptcha]