સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ –  વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

આગામી તારીખ ૧૨/૦૪/૨૦૨૬ રવિવારના રોજ આપણા સમાજના સર્વપિતૃના શ્રેયાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે વિષ્ણુ સહસ્ત્રનામ / હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે. શક્ય હોય તો બુક સાથે લાવવી. ભોજન પાસ મેળવવાની / નોંધાવવાની છેલ્લી તારીખ : ૦૮/૦૪/૨૦૨૬ રહેશે.

સ્થળ : શ્રી કામનાથ મહાદેવ પટાંગણ હોલ, લોયલા સ્કૂલ સામે, દર્પણ ૬ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ
સમય : સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી
ભોજન : સાંજે ૭.૩૦ કલાકે

પ્રવાસ આયોજન – ૨૦૨૫

પ્રવાસ આયોજન – ૨૦૨૫

આગામી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવારના રોજ પ્રસિદ્ધ સ્થંભેશ્વર મહાદેવ, કાવી કંબોઈના એક દિવસના પ્રવાસનું આયોજન કરેલ છે. આપણા સમાજના ૫૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે વ્યક્તિદિધ માત્ર ૫૦૦ રૂપિયા શુલ્ક રહેશે. વહેલી તકે રેજીસ્ટ્રેશન માટે પરિપત્રમાં જણાવેલ કોઈ પણ એક સભ્યનો સંપર્ક કરશો.

ગાયત્રી યજ્ઞ – 2024

ગાયત્રી યજ્ઞ – 2024

આ વર્ષે આપણો ધાર્મિક કાર્યક્રમ 29/12/2024 નાં રોજ રાખેલ છે . તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ છે . તેમાં ભાવિક યજમાન માટે 1100/-રુ ભરી નામ નોંધાવી શકશો .તે માટે આપને અનુષ્ઠાન કરવાની અનુકૂળતા રહે તે માટે વહેલાસર નામ નોંધાવી દેશો . ગાયત્રી ને વેદમાતા કહેવાય છે. આ યજ્ઞમાં સૂર્યનારાયણ ની આરાધના પણ કરવામાં આવે છે . આ યજ્ઞને સંસારનો આત્મા મનાય છે . આ યજ્ઞથી સ્વસ્થ જીવન ની પ્રાપ્તિ પણ થાય છે.

    [recaptcha]